Welcome

to the Divine Home of Faith

Shree Shreebai Dham

Talala-Gir

Sorathiya Prajapati Gnati Shreebai Ashram

Shree Shreebai Dham – About us

shreebaidham

શ્રી શ્રીબાઈ ધામ, તાલાલા-ગીર, એ આધ્યાત્મિકતા, સેવા અને સંસ્કૃતિનું અદભૂત કેન્દ્ર છે.
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના ગીર વિસ્તારના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર શહેર ખાતે, હિરણ નદીના પવિત્ર કાંઠે વસેલું આ ધામ માત્ર મંદિર નથી પરંતુ સમાજ, સંસ્કાર અને સૌહાર્દનું જીવંત પ્રતિક છે.

અહીં શ્રી શ્રીબાઈ માતાજીની અખંડ કૃપાથી ભક્તિ, પરોપકાર અને માનવસેવાની ભાવના સતત વહેતી રહે છે.
અઢારે વરણ તેમજ પ્રજાપતિ સમાજની અવિરત શ્રદ્ધા અને સમર્પણથી આ ધામનું નિર્માણ થયું છે, જ્યાં દરરોજ અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે, ગૌસેવા થઈ રહી છે અને માનવ કલ્યાણના અનેક કાર્યો સંપન્ન થાય છે.

શ્રી શ્રીબાઈ ધામ માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પરંતુ આધ્યાત્મિક ઉર્જાનું જીવંત કેન્દ્ર છે, જ્યાં ધર્મ, દાન, શિક્ષણ અને સેવા ચારેય માર્ગો એકસાથે જીવંત બને છે.

અહીં દર વર્ષે હજારો ભક્તો શ્રી શ્રીબાઈ માતાના દર્શનાર્થે પધારે છે.
વર્ષ ૨૦૨૪માં ધામનું ભવ્ય નવનિર્માણ પૂર્ણ થયું, જે આધુનિક સ્થાપત્ય કળા અને પ્રાચીન ભારતીય પરંપરાનો સુંદર સમન્વય છે.
શ્રી શ્રીબાઈ ધામના કાર્યનો વિસ્તાર માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં પણ ફેલાયેલો છે.
અન્નક્ષેત્ર, વિધ્યાર્થી સન્માન સમારોહ, મફત આરોગ્ય શિબિરો, સમૂહલગ્નોત્સવો, ગૌસેવા કેન્દ્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી અનેક સેવાઓ દ્વારા ધામ લોકહિતમાં અવિરત કાર્યરત છે.

સેવા એ જ સાચી ઉપાસના” — આ સૂત્રને ધામે પોતાના કાર્યમાં જીવંત બનાવ્યું છે.
અહીં ભક્તિ અને સેવા સાથે સાથે સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન થાય છે.